• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેદારનાથ યાત્રામાં ફરી પહાડ તુટ્યો, 20થી વધુ લોકો થયા લાપત્તા...

કેદારનાથ યાત્રામાં ફરી પહાડ તુટ્યો, 20થી વધુ લોકો થયા લાપત્તા...

10:13 AM August 08, 2023 admin Share on WhatsApp



ઉત્તરાખંડમાં કેદારનાથ જવાના રસ્તા પરના ગૌરીકુંડમાં ભૂસ્ખલનથી ગુમ થયેલા 20 લોકોની હજૂ સુધી કોઈ ભાળ મળી નથી. ઘણી બચાવ ટીમ આ લોકોને શોધી રહી છે. મળતી માહિતી મુજબ રુદ્રપ્રયાગ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે SDRF, NDRF, DDRF, પોલીસ, ITBP, PRD, કેદારનાથ યાત્રા મેનેજમેન્ટ ફોર્સના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. 6 ઓગસ્ટ, રવિવારના રોજ, ડ્રોનની મદદથી ધારી દેવી વિસ્તારમાંથી કુંડ બેરેજ સુધી ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

► ગુમ થયેલા લોકોનો ક્યાં હોવાની આશંકા?

અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન સતત વરસાદ, નદીના ઝડપી વહેણ અને પહાડો પરથી પડતા પથ્થરોને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. એવું કહેવાય છે કે મંદાકિની નદી હજુ પણ વેગમાં છે અને તેનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. જેના કારણે ઘટનાસ્થળે નદીમાં પડેલી દુકાનોના છાપરા હટાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓનું માનવું છે કે આ છત નીચે કેટલાક ગુમ થયેલા લોકો મળી શકે છે. અન્ય અધિકારી અને ઉખીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર વર્માએ જણાવ્યું કે, સતત ખરાબ હવામાનને કારણે વધુ ભૂસ્ખલનનો ભય તોળાય રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ વિસ્તારમાં બનેલી અસ્થાયી દુકાનોના માલિકોએ જગ્યા ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાનું શરૂ કરી દીધું છે. વધતી જતી ઘટનાઓને કારણે, જિલ્લા વહીવટીતંત્રે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના રસ્તા પરની દુકાનો અને ઇમારતોને ઓળખવાનું શરૂ કર્યું છે, જે ભૂસ્ખલનના જોખમમાં હોઈ શકે છે.


આ પણ વાંચો : મણિપુરમાં હિંસક દેખાવો યથાવત : મેઇતી અને કુકી સમુદાયો વચ્‍ચે જાતિય હિંસાથી ૧૫૦ લોકોના મોત...


► આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો?

3 અને 4 ઓગસ્ટની રાત્રે ગૌરીકુંડ વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકો ગુમ થયા હતા. આ લોકો કેદારનાથ જવા રવાના થયા હતા. જ્યારે આ લોકો ગૌરીકુંડ પહોંચ્યા, તે જ સમયે મંદાકિની નદીમાં અચાનક પૂર આવ્યું અને ભૂસ્ખલન થવાથી પર્વત ઉપરથી પડી ગયો. કહેવાય છે કે ત્રણ દુકાનો પર પહાડ પડી ગયો, જેના કારણે દુકાનો નદીમાં પડી ગઈ. આ લોકો દુકાનો પાસે જ હાજર હતા. આમાંથી ત્રણ લોકોના મૃતદેહ થોડા કલાકો બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, હજુ પણ બાકીના 20 લોકો મળ્યા નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં 14 નેપાળી, 2 યુપીના અને 4 સ્થાનિક લોકો છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-05-2026
  • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us